મૂળી પંથકમાં છેલ્લા બે દિવસથી અવિરત પડતા વરસાદને લીધે ખેડૂતોના કપાસ મગફળી અને બાજરા સહિતના પાકને મોટું નુકશાન થયું હોવાની ભીતિ સેવાઈ રહી છે આ તરફ ખેડૂતોને વાવેતર કરેલ પાક તૈયાર થતા જ વરસાદને લીધે નુકશાન થતા મોઢામાં આવેલ કોળિયો છીનવાઈ ગયો છે ત્યારે દુધઈ ગામના ગણપતભાઇ પટેલ દ્વારા ખેડૂતોને થયેલ પાક નુકશાની અંગે વળતરની માંગ કરી છે.