ભિલોડા તાલુકામાં છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો હતો જેના કારણે ભારે ભેજ તથા ઉકળાટથી લોકો પરેશાન થયા હતા.આખો દિવસ તાપમાન ઉંચું રહેતા ગરમીનો ત્રાસ વધ્યો હતો.પરંતુ રાત્રે અચાનક વરસાદી ઝાપટું પડતા વાતાવરણ ઠંડુ-ઠાર બની ગયું હતું.વરસાદ પડતા ગરમી અને બફારાથી પરેશાન લોકો ને મોટી રાહત મળી હતી.ખેડૂતો માટે પણ આ વરસાદ લાભકારી સાબિત થવાનો છે કારણ કે ખેતરોમાં ઉભેલા પાકને પાણી મળી રહેશે.