માણાવદરમાં પીપળેશ્વર મંદિર ખાતે ગણેશ સ્થાપના કરવામાં આવી છે. જેમાં માણાવદર શહેરમાં ભક્તિભાવનો માહોલ છવાયો હતો. આ અવસરે શહેરના યુવા કલાકાર જીજ્ઞેશ રતનપરાએ પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે એક અનોખું કલા પ્રદર્શન યોજીને પોતાની અદ્ભુત કલાનો પરિચય આપ્યો. આ પ્રદર્શનમાં તેમણે ગણપતિ બાપ્પાના 51 અલગ-અલગ સ્વરૂપોના ચિત્રો રજૂ કર્યા હતા, જેને જોવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને કલાપ્રેમીઓ ઉમટી પડ્યા હતા.