આજે તારીખ 31 ઓગસ્ટ સવારે 9 કલાકે ભાવનગર અમદાવાદ હાઇવે પર વલ્લભીપુર શહેરની મધ્યમાં જૈન દેરાસર પાસે અગમ્ય કારણોસર અલ્ટો કારમાં આગ લાગી હતી , આગ લાગવાની ઘટના સામે આવતા વલ્લભીપુર ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો , હાલતો આગ લાગવાનું કારણ સામે આવ્યું ન હતુ, કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થવા પામ્યો હતો.