ગાંધીનગર જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા ખડે પગે કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે ગાંધીનગર સ્થિત સરગાસણ અને તારાપુરની વચ્ચે એસ.જી હાઇવે વાળા મુખ્ય રોડ પર ઝાડ પડી ગયેલ હતું.તેને હટાવી માર્ગ સંપૂર્ણ પણે ખુલ્લો કરવાની કામગીરી વન વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે.તથા આ માર્ગ પર વાહન વ્યવહાર ફરી ચાલુ કરી દેવાયો છે.