આજ રોજ અંજાર એસ ટી બસ સ્ટેશન મધ્યે અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના વરદ હસ્તે બે એસ ટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કચ્છ જિલ્લામાં 18 નવી બસો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે.તે અંતર્ગત અંજાર ડેપોને બે નવી એક્સપ્રેસ બસ ફાળવવામાં આવી છે. ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના વરદ હસ્તે શ્રીફળ વધારીને શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા કરવામાં આવી હતી અને ત્યારબાદ લીલી ઝંડી દેખાડીને બસને પ્રસ્થાન કરાવવામાં આવી હતી.