વિસનગર તાલુકાના વાલમ ગામમાં સોલંકી કાળ દરમિયાન, આશરે ઈ.સ. ૧૧૪૦ થી ૧૧૪૧ દરમિયાન શ્રી સિદ્ધરાજ જયસિંહ દ્વારા નિર્મિત શ્રી કૃષ્ણ મંદિર ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ મંદિરમાં સ્થાપિત શ્રી રણછોડરાયજીનો શ્રીવિગ્રહ દ્વારકા અને ડાકોરના શ્રીવિગ્રહ જેવો જ ભવ્ય અને આબેહૂબ લાગે છે. ગ્રામજનો આજે પણ તેમની સેવા-પૂજા દ્વારકા અને ડાકોરની જેમ જ ભવ્યતા અને ધામધૂમથી કરે છે.