Download Now Banner

This browser does not support the video element.

માણસા: ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાતા તાલુકાના નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા

Mansa, Gandhinagar | Aug 23, 2025
ભારે વરસાદ અને ઉપરવાસમાં થયેલ પાણીની આવકને પગલે ધરોઇ ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો છે. શુક્રવારે સવારે 4 વાગ્યે ધરોઇ ડેમમાંથી 30,000 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. જેને પગલે લાકરોડા ચેકડેમ અને અંબોડ સાબરમતી નદી બેકાંઠે વહેવા લાગી છે. જેને પગલે તંત્ર દ્વારા નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં ખડાત, મહુડી, અનોડિયા, ડોડિપાળ, લાકરોડા, વરસોડા, ગુનમાને એલર્ટ કરાયા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us