થરાદ તાલુકાના ઇઠાટા ગામમાં ભારે વરસાદ દરમિયાન આકાશી વીજળી પડવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં સ્થાનિક પશુપાલક ભગવાનભાઈ વજીરની ભેંસનું મોત નિપજ્યું છે.વરસાદ દરમિયાન અચાનક પડેલી આકાશી વીજળીએ ભેંસને ભરડામાં લીધી હતી. આ ઘટનાથી પશુપાલક ભગવાનભાઈને મોટું આર્થિક નુકસાન થયું છે. ભેંસ તેમની આજીવિકાનું મુખ્ય સાધન હતી.પશુપાલન વ્યવસાય પર નિર્ભર રહેતા ખેડૂત પરિવાર માટે આ નુકસાન ગંભીર આર્થિક ફટકો છે.