વલ્લભીપુર સરકારી હોસ્પિટલમાં તબીબો સમયસર હાજર ન રહેતા દર્દીઓ અટવાયા હતા, જાગૃત નાગરિક દ્વારા અનેક વાર રજૂઆત કરી હોવા છતાં તબીબોના વર્તનમાં કોઈ ફેરફાર ન થતાં સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો , મોટા ભાગના તબીબો હેડ ક્વાર્ટર પર હાજર રહેતા નથી જેથી મોડા અવી વહેલા નીકળી જવાની ઉતાવળ તબીબોને રહેતી હોય છે , આ પ્રશ્નનું નિરાકરણ જલ્દી આવે તેવી તાલુકા વાસીઓ માંગ કરી રહ્યા છે.