ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઈન્ફોર્મેશન સર્વિસિસ (ઈનકોઈસ) દ્વારા ગીર સોમનાથ જિલ્લાના દરિયાકિનારે હાઈ વેવ એલર્ટ આપવામાં આવ્યું છે. જેની શક્યતા જોતા દરિયાકિનારે ઊંચા મોજા ઉછળી શકે છે. ઈનકોઈસ સંસ્થા દ્વારા આ એલર્ટમાં જણાવાયું છે કે, ૨૫ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ગીર સોમનાથ જિલ્લાના દરિયાકિનારે ૩.૦ થી ૩.૫ મીટરની ઊંચાઈના મોજા ઉછળવાની શક્યતા છે. આ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને દરિયાઈ પ્રવૃત્તિઓ અને દરિયાકિનારા નજીક જતી વ્યક્તિઓ માટે જોખમ ઉભું થઈ શકે છે.