જૂનાગઢ ભવનાથ અને ગિરનાર પર્વત પર રહેતા સાધુ-સંતો વિશે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર દ્વારા પ્રસારિત કરવામાં આવેલા અભદ્ર વિડીયો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ, જૂનાગઢ મહાનગર દ્વારા ડીવાયએસપી હિતેશ ધાંધલિયાને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.