Download Now Banner

This browser does not support the video element.

થરાદ: દૈયપ ગામના ખેડૂતોની નર્મદા વિભાગને રજૂઆત

India | Aug 22, 2025
વાવ તાલુકાના દૈયપ ગામના ખેડૂતોએ સિંચાઈના પાણીની સમસ્યા અંગે થરાદ નર્મદા વિભાગને લેખિત રજૂઆત કરી છે. દૈયપ માઈનોર-2 કેનાલમાં ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે. કેનાલની વધુ લંબાઈને કારણે છેવાડા સુધી પાણી પહોંચતું નથી.નર્મદા નિગમે નાખેલી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાં અનેક ખામીઓ જોવા મળી રહી છે. માઈનોર પર આવેલી 19 ચકીમાંથી એક પણ કનેક્શન કરવામાં આવ્યું નથી. હલકી ગુણવત્તાની પાઇપલાઇન વાપરવામાં આવી છે. દબાણથી પાણી આપતા પાઇપો લીકેજ થઈ જાય છે.
Read More News
T & CPrivacy PolicyContact Us