Download Now Banner

This browser does not support the video element.

ગોધરા: તાલુકાના મોર્યો ગામે ચાર ઈસમોએ યુવક પર જીવલેણ હુમલો કર્યો, સમગ્ર મામલે કાંકણપુર પોલીસમથકે ગુનો નોંધાયો

Godhra, Panch Mahals | Sep 9, 2025
ગોધરા તાલુકાના મોર્યો ગામે ખોડીયાર મંદિર ફળીયામાં હસમુખભાઈ કિશોરભાઈ સોલંકી પર ચાર ઈસમોએ જીવલેણ હુમલો કર્યો હતો. ફરીયાદ મુજબ, ધર્મેન્દ્રસિંહ વાળાએ ગાળાગાળી બાદ ઘેરથી ધારીયું લાવી માથા પર ઘા કર્યો હતો, જેના કારણે હસમુખભાઈને ગંભીર ઈજા થઈ હતી અને દાંત તૂટી ગયો હતો. ત્યારબાદ સંદીપસિંહ વાળાએ લોખંડની પાઈપથી, કિશનરૂ વાળાએ લાકડીથી માર માર્યો હતો, જ્યારે સંગીતાબેન વાળાએ અપશબ્દો બોલ્યા હતા. હુમલા બાદ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us