સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવા છતાં મગફળીની ખરીદીમાં અપનાવવામાં આવેલી મર્યાદિત નીતિના કારણે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આજરોજ કોંગ્રેસની આગેવાનીમાં ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. અને ત્રણ કલાકના પ્રતીક ધરણા કરી પોતાનો રોષ વ્યકત કર્યો હતો. ખેડૂતોની મુખ્ય માંગણી એ છે કે, સરકારે ટેકાના ભાવે પ્રતિ ખેડૂત ખરીદીની મર્યાદા વધારી 200 મણ કરવી જોઈએ. અને દિવાળીના તહેવારો પૂર્વે જ ખરીદી શરૂ કરીને ખેડૂતોને તેમના નાણાં પણ ચૂકવવા જોઈએ.