સરહદી પંથકમાં ભારે વરસાદને પગલે જિલ્લાના કુલ ૨૯૭ ગામમાં વીજળી ખોરવાઈ હતી. કલેકટરશ્રીના નેતૃત્વમાં યુ.જી.વી.સી.એલ ની કુલ ૮૬ ટીમો વીજળી પુનઃસ્થાપન કરવા માટે રાત દિવસ કામ કરી રહી છે. આજે તા.૧૦ સપ્ટેમ્બરના રોજ સાંજે ૪ વાગ્યા સુધી ૨૯૭ ગામ પૈકી ૨૧૧ ગામડાઓમાં વીજ પુરવઠો કાર્યરત થઈ ચૂક્યો છે. વરસાદને પગલે જિલ્લામાં કુલ ૬૦૨ જેટલા વીજ પોલ ડેમેજ થયા હતા.