વાંસદા તાલુકાના ઘોડમાળ ગામે આવેલી ત્રણ આંગણવાડીઓ હાલ જર્જરીત હાલતમાં છે અને ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં પહોંચી ગઈ છે. ગામલોકોના જણાવ્યા મુજબ, આ આંગણવાડીઓ ઘણા વર્ષો પહેલા બનાવવામાં આવી હતી, પરંતુ ભ્રષ્ટાચાર અને બેદરકારીના કારણે તેમની હાલત દિવસેને દિવસે ખરાબ થતી ગઈ છે.