નિરાહારી સિદ્ધ યોગી પરમ પૂજ્ય દાદાબાપુ તેમજ મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી પ્રહલાદ પટેલ સહિતના મહાનુભાવો આજે પાવાગઢ ખાતે પધાર્યા હતા. જેમાં આ તમામ મહાનુભાવ એ મહાકાળી માતાજીની પૂજા અર્ચના કર્યા બાદ માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. અને મહાકાળી માતાજીના મંદિરના શિખરે ધ્વજારોહણ કર્યું હતું. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર યોગેશ મામા અને ડોક્ટર રાજુ એમ.ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.