આંબરડી પ્રાથમિક શાળામાં કાર્યરત શિક્ષક મહેન્દ્રભાઈ વસોયા તથા શિક્ષિકા ગોપિકાબેન શ્રાવણ મહિનાના ઉપવાસ કરી રહ્યા છે. આ ઉપવાસના પાવન નિમિત્તે તેમણે શાળાના તમામ બાળકો માટે વિશેષ તિથિભોજનનું આયોજન કર્યું હતું. તા. 23/08/2025 ના રોજ વરસાદી વાતાવરણ વચ્ચે શાળાના દરેક બાળકને મિક્સ ભજીયાનું સ્વાદિષ્ટ અને ભરપૂર ભોજન પીરસવામાં આવ્યું હતું. બાળકો વરસાદી માહોલમાં ગરમા ગરમ ભજીયા માણીને ખૂબ જ આનંદિત થયા હતા અને તેમના ચહેરા પર ખુશીના ઝળહળતા ભાવ દેખાયા હતા.