ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીએ આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું .બિહારમાં PM નરેન્દ્ર મોદીના સ્વર્ગીય માતા વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીના વિરોધમાં ઘ-5 સર્કલ નજીક રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.શહેર ભાજપ પ્રમુખ આશિષ દવેએ જણાવ્યું કે, રાહુલ ગાંધીએ યાત્રા દરમિયાન વડાપ્રધાન અને તેમના સ્વર્ગસ્થ માતૃશ્રી વિશે અસ્વીકાર્ય ટિપ્પણીઓ કરી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન 140 કરોડ દેશવાસીઓના નેતા છે.