Download Now Banner

This browser does not support the video element.

નવસારી: નવસારી વિરાવળના ગાંધી વિદ્યાલયમાં યુવકે આપઘાતની ઘટનામાં મૃતદેહ પોસમોર્ટમ માટે ખસેડાયો

Navsari, Navsari | Sep 12, 2025
નવસારી વિરાવળ નજીક આવેલ સરકારી ગાંધી વિદ્યાલયમાં આજે એક યુવકે આપઘાત કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વિરાવળના હળપતિ વાસમાં રહેતા પ્રતીક હળપતિએ શાળાની ઈમારતમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં જ ગ્રામ્ય પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. આ બનાવ બાદ શાળા તાત્કાલિક બંધ કરી દેવામાં આવી છે. આત્મહત્યાનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી, પરંતુ પોલીસે સમગ્ર મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us