અરવલ્લી તથા ઉપરવાસ વિસ્તારમાં થયેલા ભારે વરસાદને કારણે વિવિધ જળાશયો માં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.પાણીની આવક વધતા રૂલ લેવલ જાળવવા તંત્ર દ્વારા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે.માલપુરના વાત્રક ડેમમાં 12 હજાર ક્યુસેક પાણીની આવક સામે 17 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે.આથી નદીકાંઠે વસતા લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.