આજ રોજ સમય 3 કલાકે વિજયનગર તાલુકા માં સતત ત્રણ દિવસથી ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને લઈ હરણાવ જળાશયમાંથી રૂલ લેવલ થતા પાણી છોડવામાં આવતા પોળો ફોરેસ્ટમાં જવાનો મુખ્ય રસ્તો ધોવાયો હતો રસ્તો ધોવાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણ બંધ થઇ ગયાં હતાં અને પોળોમાં બે સ્થળે રસ્તો ધોવાઈ જવા પામ્યો છે.પોળોમાં વીજળીના પોલ પણ ધોવાઈ જવા પામ્યો હતાં પોળો ફોરેસ્ટ પ્રવાસીઓ માટે હાલ બંધ છે હરણાવ નદીમાં પૂરને લઈ પોળો ફોરેસ્ટ સલામતીને ધ્યાનમાં રાખી બંધ કરાયું છે.