અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પંચમહાલ દ્વારા “આપણી શાળા – આપણું સ્વાભિમાન” અભિયાન અંતર્ગત ગોધરા તાલુકાના કેવડિયા સ્થિત વંદના વિદ્યાલયમાં કાર્યક્રમ યોજાયો હતો. અધ્યક્ષતા રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે કરી હતી. તેમણે જણાવ્યું કે દેશભરમાં આ અભિયાનની શરૂઆત થઈ છે, જેમાં શિક્ષણના પાંચ બિંદુઓ – વ્યક્તિ, પરિવાર, સમાજ અને રાષ્ટ્ર નિર્માણ સહિત મૂલ્યોના સંચારને પ્રાથમિકતા આપવામાં આવી છે.