Download Now Banner

This browser does not support the video element.

ઉધના: સુરતના લિંબાયતમાં કોમી એકતાના રંગે રંગાયેલી ગણેશ વિસર્જન યાત્રા

Udhna, Surat | Sep 6, 2025
સુરત: હંમેશા સંવેદનશીલ ગણાતા સુરતના લિંબાયત વિસ્તારમાં ગણેશ વિસર્જન યાત્રા કોમી સૌહાર્દ અને ભાઈચારાની અનોખી મિસાલ બની રહી. ડીજેના તાલે અને ઢોલ-નગારાના ગગનભેદી અવાજ સાથે નીકળેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ ભક્તો જોડાયા હતા.લિંબાયતમાં ગણેશજીની વિસર્જન યાત્રા દરમિયાન ભક્તોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. ડીજે, ઢોલ અને નગારાના સથવારે ભક્તો 'ગણપતિ બાપા મોરિયા'ના નારા લગાવતા નાચતા-ગાતા બાપાની વિદાય આપી રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us