જુનાગઢ કલેકટર અનિલકુમાર રાણાવાસિયાના માર્ગદર્શનમાં જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા રોગચાળો ન વક્રે તે માટે ભારે વરસાદથી અસરગ્રસ્ત ગામોમાં OPD એટલે કે આરોગ્ય તપાસણી શરૂ કરવામાં આવી છે. આ સાથે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વેના માધ્યમથી લોકોના આરોગ્યને તપાસવામાં આવી રહ્યા છે.