મેંદરડામાં ‘સરદાર સન્માન યાત્રા’નું સ્વાગત સન્માન કરવામાં આવ્યું દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની પૂર્વ ઉજવણીના ભાગરૂપે શરૂ થયેલી 'સરદાર સન્માન યાત્રા'નું મેંદરડા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ યાત્રાને સમગ્ર શહેરના સર્વ સમાજ અને વિવિધ સંસ્થાઓ,રાજકીય, સામાજીક અગ્રણીઓ દ્વારા ઉષ્માભર્યો આવકાર મળ્યો,હતો જેનાથી સમગ્ર વાતાવરણ 'જય સરદાર', સૌ ના સરદાર ના નારાથી ગુંજી ઉઠ્યું હતું