થરાદ તાલુકા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા SC/ST સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ-2025 યોજાયો. આ કાર્યક્રમમાં શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ પરિણામ મેળવનાર અને વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા.સમારોહમાં નવનિયુક્ત અને વયનિવૃત્ત થયેલા વડીલો તેમજ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારતેજસ્વી તારલાઓને શીલ્ડ, પ્રમાણપત્ર અને ડૉ. બાબાસાહેબ આંબેડકરનો ફોટો આપીને સન્માનિત કરાયા.