બીએપીએસ સંસ્થાના વડા અને ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય શ્રી મહંત સ્વામી મહારાજ આગામી ૫ સપ્ટેમ્બરના રોજ મહેસાણા પધારી રહ્યા છે. તેઓ ૧૯ સપ્ટેમ્બર સુધી એટલે કે ૧૫ દિવસ મહેસાણા ખાતે રોકાશે, અને આ દરમિયાન વિવિધ પ્રેરણાત્મક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.આ અંગેની માહિતી આપવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, મહેસાણા ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.