જુનાગઢ મુસ્લિમ સમાજના ઇમામો, સાદાત સમાજના પ્રમુખો તથા અન્ય ધર્મગુરુઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું.અમદાવાદની સેવંથ-ડે સ્કૂલમાં બનેલી દુઃખદ ઘટના અને તેના બહાને નબી-એ-પાક (ﷺ) ની શાનમાં થયેલી ગુસ્તાખી સામે ન્યાયની માંગણી કરી.મુસ્લિમ સમાજે આ ઘટનાની કડક નિંદા કરી અને ત્રણ મુખ્ય માંગણીઓ રજૂ કરી હતી જેમાં હત્યાની ઘટનાની ઝડપી તપાસ અને દોષિતોને સજા આપવા માંગ કરી અને નબી-એ-પાક (ﷺ) વિરુદ્ધ ગુસ્તાખી કરનારાઓ સામે કાનૂની કાર્યવાહીની રજૂઆત કરી હતી.