સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી માટે સુરતમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 'નમોત્સવ' અને 'સેવા પખવાડિયા'ના ભાગરૂપે યોજાનારા આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીના જીવન પર આધારિત એક ખાસ નાટક રજૂ કરવામાં આવશે, જેમાં 400થી વધુ કલાકારો ભાગ લેશે. આ કાર્યક્રમ આગામી 7 સપ્ટેમ્બરના રવિવારે સરસાણા સ્થિત પ્લેટિનમ ટ્રેડ સેન્ટરમાં યોજાશે.