વડોદરા : તરસાલી વિજયનગર પાસે સાફ-સફાઈ નહીં થતાં નાગરિકોએ કચરા વચ્ચે બેસીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.સ્થાનિક રહીશોનું કહેવું છે કે, એન્જિનિયર વિભાગ એએમસીને રજૂઆત કરી તેમના દ્વારા હમણાં નહીં થાય ચોમાસા પછી આ કામ કરી આપવામાં આવશે.પણ ખરેખર કામ કરતા હોવ તો આ વસ્તુનું ધ્યાન દોરીને રોગચાળો ન ફેલાય તેનું ધ્યાન વધારે આપવું જોઈએ જો કે બધા નિષ્ફળ ગયા છે.પ્રશાસન કોઈપણ પ્રકારની કામગીરીમાં સફળ નથી તેવા આક્ષેપો પણ રહીશોએ કર્યા હતા.