કેશોદના અજાબ ગામે થોડા દિવસ પહેલા જ એક વ્યક્તિ દ્વારા વેપારી ઉપર એટ્રોસિટી ની ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારે આ ફરિયાદ નાના બાળકો ની ઝઘડામાંથી થઈ હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે જરા ફરિયાદ ખોટી રીતના કરવામાં આવી હોવાનું ગ્રામજનો એ જણાવવામાં આવ્યું હતું. ત્યારે આજે ગ્રામજનોએ અજાબ ગામ સંપૂર્ણ બંધ પાડી એસપી કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપ્યું હતું