સુરેન્દ્રનગર જીલ્લામાં ગણેશ ચતુર્થીએથી ગણેશોત્સવની ઉજવણીનો આસ્થાભેર સાથે પ્રારંભ થયો છે.ત્યારે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોની અંદર વિવિધ પંડાલોમાં અને ઘરોમાં ભક્તોએ શોભાયાત્રા યોજીને વાજતે ગાજતે વિધ્નહર્તા ગણેશનું સ્વાગત કરી સ્થાપના કરવામા આવી છે.ત્યારે લખતર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ મંડળો દ્વારા ગણેશ ઉત્સવના આયોજન કરવામાં આવેલ છે.જેમાં ગણપતિની શ્રધ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવી હતી