ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજીમાં લાખોની સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે, ત્યારે તેમના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહેસાણા ફૂડ વિભાગે સઘન ચેકિંગ હાથ ધર્યું છે. આ પાવન પર્વમાં મા અંબાના દર્શન માટે આવેલા શ્રદ્ધાળુઓ માટે અનેક સેવા કેમ્પ કાર્યરત છે, જ્યાં તેમને પ્રસાદ સ્વરૂપે ભોજન પૂરું પાડવામાં આવે છે.ફૂડ વિભાગ દ્વારા આ સેવા કેમ્પો અને અન્ય જગ્યાએ શુદ્ધતાની ખાતરી કરવા માટે 'ફૂડ સેફટી ઓન વિહિલ' વાનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.