સુરત મેયર દક્ષેશ માવાણી દ્વારા અડાજણ ખાતે ગણેશની માટીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓના પ્રદર્શન અને વેચાણ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.ગુરુવારે સવારે અગિયાર કલાકે આ મેળો ખુલ્લો મુકાયો હતો.ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેક્નોલોજી સંસ્થાન ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.જે મેળામાં અલગ અલગ પ્રકારની ગણેશની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનું પ્રદર્શન મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા નિહાળવામાં આવ્યું હતું.