This browser does not support the video element.
થરાદ: ખાનપુર નર્મદા કેનાલમાં પડેલા આખલાનો બચાવ, ફાયર ટીમે રેસ્ક્યુ
India | Aug 25, 2025
થરાદમાંથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં એક આખલો પડી જવાની ઘટના બની. ખાનપુર ફાટક નજીક કેનાલમાં પડેલા આખલાની સ્થિતિ નાજુક હતી. લાંબા સમયથી પાણીમાં હોવાને કારણે તેના ડૂબી જવાનો ભય હતો.થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા. થરાદ ફાયર ઓફિસર વિરમજી રાઠોડના નેતૃત્વમાં ફાયર ટીમે શેણલ યુવક મંડળ થરાદ અને સ્થાનિક રાહદારીઓની મદદથી બચાવ કામગીરી શરૂ કરી.