બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ પરસોત્તમભાઈ રાઠોડ એ જણાવ્યું કે આજે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર કચેરી ગઢડા ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. દરેક જિલ્લાની અંદર આ આવેદનપત્ર આજે આપવામાં આવ્યું છે. જેમાં આ આવેદનપત્ર આપવાનું કારણ કેન્દ્ર સરકાર દ્વારા જે કપાસના આયાત ડ્યુટી રદ કરવામાં આવી હતી. જે દરેક ખેડૂતો માટે ખૂબ જ નુકશાનકારક હોય જેના વિરોધમાં આજે ગઢડા મામલતદાર કચેરી ખાતે આવદનપત્ર આપવામાં આવ્યું છે.