સુરતના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરોમાં તોડફોડ કરવામાં આવતા ભારે આક્રોશ ફેલાયો છે. ડો. હેડગેવાર નગરમાં ગણપતિ ઉત્સવને લઈને લગાવવામાં આવેલા આ બેનરોને રાત્રિ દરમિયાન ફાડી નાખવામાં આવ્યા હતા, જેમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર અને સ્થાનિક દુકાનોના બેનરોનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાથી સ્થાનિક લોકો અને ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.રાત્રિના સમયે ત્રણથી ચાર અસામાજિક તત્વોએ આ બેનરોને ફાડી નાખ્યા અને તોડફોડ કરી હતી.