ભરૂચ: એઆઈ બેઝ સિસ્ટમની કામગીરીને લઈને 14 મી સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ કરાયો
ભરૂચ આરટીઓમાં એઆઈ બેઝ સિસ્ટમ લગાવવા ની કામગીરીને લઈને હાલ 14મી સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ટેસ્ટ માટે બંધ રહેશે. ડ્રાઇવિંગ ટ્રેક બંધ રહેતા 80 થી અરજદારો ના ડ્રાઇવિંગ ટેસ્ટ રીસીડયુલ કરવામાં આવ્યું છે. જેથી અરજદારોને આરટીઓ સુધીનો ખોટો ધક્કો ખાવો નહીં પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે.