મહે. એશિયાના સૌથી મોટા શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે બિરાજમાન ગજાનંદ મહારાજના દર્શન તૅમજ મહાઆરતીના ભક્તોએ લીધો દર્શનલાભ. સાંજે સાયનકાલે પધારેલ ભક્તજનોએ સુંદર મનમોહક શણગાર કરેલ ગજાનંદ મહારાજના દર્શનનો લાભ લીધો હતો.બ્રાહ્મણો દ્વારા સાંજે સાયનકાલે નિજ દેવસ્થાનમા બિરાજમાન એવા ગજાનંદ મહારાજની 51 દિપની મહાદીપ આરતી ઉતારવામાં આવી હતી.ત્યારે પધારેલ ભક્તજનોએ દાદાના દર્શનની સાથે સાથે 51દિપની મહાદીપ આરતીના પણ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.