MG રોડ ખારગેટ વિસ્તારમાં હિંમતભાઈ શાકપુરી વાળા ખાંચામાં મકાન પડ્યું, સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નહી
Bhavnagar City, Bhavnagar | Oct 28, 2025
ભાવનગર શહેરના મુખ્ય બજાર MG રોડ ખારગેટ વિસ્તારમાં મકાન ધરાશયી થયું હતું. ખારગેટ વિસ્તારમાં આવેલા હિંમતભાઈ શાકપુરી વાળાના ખાંચામાં આવેલું એક જુનવાણી જર્જરીત મકાન અચાનક પડ્યું હતું. જેને લઇ સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હતો. ઘટનાને લઇ BMC ટીમને જાણ થતા ઘટના સ્થળે પહોંચ્યા હતા. જોકે મકાનમાં કોઈ રહેતું ન હોવાથી સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી.