ધ્રાંગધ્રા શહેરમાં સ્વચ્છતા જાળવવા નગરપાલિકાએ ગંદકી સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. શહેરના ચરમાળીયા ગ્રાઉન્ડ ખાતે વહેલી સવારે યોજાતી શાકભાજીની હોલસેલ હરાજી દરમિયાન જાહેરમાં કચરો ફેંકતા 20 શાકભાજીના વેપારીઓ સામે નગરપાલિકાએ કાર્યવાહી કરી કુલ ₹5000નો દંડ વસૂલ્યો હતો છેલ્લા ઘણા વર્ષોથી ચરમાળીયા ગ્રાઉન્ડમાં વહેલી સવારે શાકભાજીની હોલસેલ હરાજી યોજાતી આવી છે પરંતુ કેટલાક વેપારીઓ દ્વારા બગડેલા શાકભાજી તેમજ અન્ય કચરો ખુલ્લામાં ફેંકવામાં આવતા કાર્યવાહી કરી