તાલોદ: કારતકી પૂનમ નિમિત્તે તલોદના દેવ મંદિરોમાં ભક્તોની ભીડ
કારતકી પૂનમ એટલે દેવ દિવાળીના પાવન અવસરે તલોદ શહેર અને તાલુકાના દેવ મંદિરોમાં શ્રદ્ધાળુઓએ ઉમંગભેર ઉજવણી કરી હતી. દેસાઇનગરના પૌરાણિક મહાદેવ મંદિર અને અમદાવાદ-મોડાસા સ્ટેટ હાઇવે પર વજાપુર ખાતે આવેલા મહાકાલેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં દીપ પ્રજ્વલિત કરીને દેવ દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવતા, દીપ જ્યોતિથી મંદિર પરિસર ઝળહળી ઉઠ્યા હતા. આ સાથે, તલોદ શહેર મધ્યે આવેલા અંબે માતાજી મંદિર અને સલાટપુરના ખો