નડિયાદ મનપા દ્વારા બાકી વેરા વસુલાત માટે એક રિબેટ સ્કીમ નક્કી કરવામાં આવી હતી જે સ્કીમ અંતર્ગત અત્યાર સુધી 14,966 મિલકત ધારકોએ લાભ મેળવ્યો છે અને ચાર કરોડથી વધુની મિલકત વેરાની રકમની વસૂલાત કરવામાં આવી છે ત્યારે હજુ પણ ટેક્સ નહીં ભરનાર બાકીદારો પાસે મનપા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને શરૂ કરવામાં આવી છે છેલ્લા બે દિવસમાં 14 મિલકત ધારકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે આ બાબતે નડિયાદ નાયબ મ્યુનિસિપલ કમિશનરએ વધુ માહિતી આપી હતી