સંતરામપુર: વડાપ્રધાનના દીર્ઘ આયુષ્ય માટે મહાદેવના મંદિર ખાતે શિક્ષણ મંત્રીએ પૂજા અર્ચના કરી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આજે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરે મહાદેવના મંદિર ખાતે પૂજા અર્ચના અને આરતી કરી હતી તો જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયા એ પણ મહાદેવની આરતી ઉતારી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘ આયુષ્ય અને સ્વસ્થ અને આરોગ્યપ્રદ જીવન માટે પ્રાર્થના કરી.